
અનેકવિધ પાકોની ખેતીનાં મામલે આપણો દેશ સમગ્ર વિશ્વમાં અગ્રેસર રહેલો છે. દેશનાં ગુજરાત રાજ્યમાં પણ અનેકવિધ પાકોની ખેતી કરવામાં આવે છે. રાજ્યમાં પુરુષો તેમજ મહિલાઓ એમ બન્ને વર્ગ અનેકવિધ પાકોની ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં કુલ 98.3% માં વાવેતર કરવામાં આવે છે.
આ બાબત જણાવે છે કે, આપણા રાજ્યનો ખેડૂત દેશના અન્ય વિસ્તારો કરતાં મહેનતુ છે. ખેતી થઈ શકે એવા વિસ્તારમાંથી મધ્ય પ્રદેશમાં 95.5%, કર્ણાટકમાં 95.1%, ઉત્તર પ્રદેશમાં 94.4%, પશ્ચિમબંગાળમાં 94.3%, મહારાષ્ટ્રમાં 87.6% તથા રાજસ્થાનમાં 85.7% વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે.
જો પુરુષ તથા મહિલા ખેડૂતોની વાત કરવામાં આવે તો ગુજરાત આ મામલે ખુબ પછાત છે. મહિલા ખેડૂતોના નામે ખૂબ જ ઓછી જમીન છે. સમગ્ર દેશમાં કુલ સિંચાઇ ક્ષેત્ર વર્ષ 2010-11માં 45.7% હતો. જેમાં વધારો થઈને 48.7% 5 વર્ષમાં થયો હતો.
ત્યાં સુધીમાં ગુજરાતમાં 18 લાખ હેક્ટર સિંચાઈ આપી શકે એવી નર્મદા યોજના પુર્ણ થઈ ગઈ હતી. કુલ 96.57 લાખ હેક્ટર જમીન 5 વર્ષમાં વધીને કુલ 98.12 લાખ હેક્ટર થઈ ગઈ હતી. જેમાં 40 લાખ હેક્ટર જમીન પરની સિંચાઈમાં વધારો થઈને 53 લાખ હેક્ટર હતી.
જેમાં કુવા તેમજ બોરથી સિંચાઈ કરવાનું પ્રમાણ નહેર કરતાં વધારે માત્રામાં હતું. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પણ ખુબ ઓછી સિંચાઈ થતી હતી. કુલ સિંચાઈ ક્ષેત્રના માત્ર 54.2% વિસ્તાર સિંચાઇની ક્ષમતા સાથે છે. ઉત્તર પ્રદેશમાં દેશના સૌથી વધારે એટલે કે, 83.2% ખેતરોમાં સિંચાઈ થતી હતી.
જયારે પશ્ચિમ બંગાળ 68.2%, તમિલનાડુ 62.2%, બિહાર 61.4%, મધ્ય પ્રદેશ 56.3%, આંધ્રપ્રદેશ 48.9%, ગુજરાત 54.2% તથા રાજસ્થાન 43.4% ટકા વિસ્તારમાં સિંચાઇથી ખેતી કરવામાં આવતી હતી. કુલ 18.13 લાખ હેક્ટરમાં નહેરની સિંચાઈ ક્ષમતા હતી કે, જેમાં સરકારી ચોપડે માત્ર 11.39 લાખ હેક્ટર હોવાનું જણાવાયું છે.
જયારે હકીકતમાં તો 8 લાખ હેક્ટરથી તમામ 220 બંધ તેમજ તળાવથી સિંચાઈ કરવામાં આવતી હતી. જેનો સીધો અર્થ એ થયો કે નર્મદા નહેરથી ફક્ત 3-4 લાખ હેક્ટર સિંચાઈ થાય છે. જે ખરેખર 18 લાખ હેક્ટરથી થવી જોઈતી હતી. રાજ્યમાં વર્ષ 2006માં કુલ 9,100 કિલો મીટરની 527 નહેરો મારફતે 7.90 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી.
જયારે 12 વર્ષ બાદ એટલે કે, વર્ષ 2018માં નહેરથી કુલ 11.39 હેક્ટરમાં સિંચાઈ થતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જો કે, સરકાર એવો દાવો કરી રહી છે કે, 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે એવી ક્ષમતા બંધોની છે કે, જેમાંથી 11 લાખ હેક્ટરમાં જ સિંચાઈ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં તો ખેડૂતોના 5 લાખ હેક્ટર ખેતરમાં જ નહેરોનું પાણી પહોંચે છે.
કુલ 1 લાખ કરોડના ખર્ચ કર્યા બાદ પણ નર્મદા યોજના સાવ નિષ્ફળ સાબિત થઈ છે. સરકારે તાલુકા તથા ખેડૂતના સરવે નંબરની સાથે સિંચાઈની જાણકારી જાહેર કરવી જોઈએ. તો જ નર્મદા યોજના કેટલી સફળ ભાજપના 26 વર્ષના શાસનમાં થઈ છે. તેનો સાચો ખ્યાલ આવી શકે. જયારે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તમામ ખેતરના સરવે નંબરની સાથે ખેડૂતોના નામો જાહેર કરી શકે તેમ નથી.
મહિલા ખેડૂતો ખુબ ઓછા:
ફક્ત 41.90 લાખ પુરૃષોના નામે કુલ 85.15 લાખ હેક્ટર જમીન હતી જયારે 6.90 લાખ મહિલાઓના નામે ફક્ત 13.05 લાખ હેક્ટર ખેતીની જમીન હતી. કુલ જમીન 88.78 લાખ હેક્ટર હતી. રાજ્યમાં મહિલાઓના નામે ફક્ત 4.3% જમીન હતી.
સમગ્ર દેશમાં સૌથી વધારે મહિલા ખેડૂતો આંધ્રપ્રદેશમાં 12.6% જમીન ધરાવે છે. ત્યારપછી મહારાષ્ટ્રનો ક્રમાંક આવે આવે છે. સમગ્ર દેશમાં મહિલા ખેડૂતોના નામે જમીનમાં દેશમાં 10મું સ્થાન છે. જે ગુજરાતના ખેડૂત સમાજની પ્રગતિ દેખાઈ આવતી નથી. સ્ત્રીઓને ખેતીમાં અન્યાય થઈ રહ્યો હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે.