
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 21 અને 22 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. 22 જૂને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અમદાવાદમાં હાલ વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે.
હાલ હવામાન વિભાગ દ્વારામાછીમારોને 20 થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની સંભાવના છે.
આસામમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બનવ પામી છે. પૂરના કારણે ચાર બાળકો સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે. તે જ સમયે. તે જ સમયે, રાજ્યના 32 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણીથી 4,291 ગામો ડૂબી ગયા છે અને 66,455.82 હેક્ટર પાક ડૂબી ગયો છે.
આ અંગે બારપેટામાં જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે, અહીંના ગ્રામીણો તેમના ઘરોમાં કિંમતી સામાન હોવાનું કહીને તેમના ઘર છોડવા તૈયાર ન હતા. પરંતુ, અમે કોઈક રીતે તેમને તેમના ઘર ખાલી કરવા સમજાવવામાં સફળ થયા અને હવે અમે તેમને રાહત શિબિરોમાં લઈ જવા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…