જુનાગઢ હાઈવે પાસે દુધથી ભરેલ વાહને બાઈકને અડફેટે લેતા કાકા-ભત્રીજાનાં મોત થતા પરિવારમાં છવાયો માતમ

Published on: 3:34 pm, Thu, 21 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઘણીવાર જીવલેણ અકસ્માત સર્જાતા રહેતા હોય છે. જૂનાગઢ-મેંદરડા રોડ પર આવેલ ઈવનગર ગામ પાસે ગત મોડી રાત્રે દુધથી ભરેલા મેટાડોરના ચાલકે ડબલ સવાર બાઇકને અડફેટે લેતા કાકા- ભત્રીજા ફંગોળાઈને ખાબકતા ગંભીર ઇજા પહોંચી હતી.

જેને લીધે આ બન્નેનાં મોત નીપજ્યા હતા. જયારે આ અકસ્માત અંગે મૃતકના પરિવારજન દ્વારા મેટાડોરના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિગતે જોઈએ તો, જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ સીદવાણા ગીર ગામમાં રહેતા તાલીબ નૂરમહમદ ચોટીયારા અને કૌટુંબિક કાકા રહીમભાઈ બિલાલભાઈ ચોટીયારા સાથે જ હતા.

તેઓ ગઈકાલે જ ઈદનો તહેવાર હોવાને લીધે જૂનાગઢ આવવા માટે રાત્રીના 10 વાગ્યે તેના બાઈક પર નીકળ્યા હતા. આ ઘટનામાં તાલીબ બાઈક ચલાવી રહ્યો હતો તેમજ તેના કૌટુંબિક કાકા રહીમભાઈ પાછળ બેઠા હતા. જૂનાગઢ મેંદરડા રોડ પર ઈવનગરની દરગાહ નજીક રોડ પર પહોંચ્યા ત્યારે સામે તરફથી પૂરઝડપે આવી રહેલ દૂધ ભરેલા મેટાડોરના ચાલકે આ ડબલ સવાર બાઇકને અડફેટે લીધું હતું.

અકસ્માત સર્જીને મેટાડોરનો ચાલક ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાંની સાથે જ તાલુકા પોલીસ તથા ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે જઈને તાલિબને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેનું મોત થયું હતું. જ્યારે ૨હીમભાઈની શોધખોળ કરાઈ હતી એમ છતાં ન મળતા સવારે તેના મૃતદેહ મળતા બહાર કાઢવામાં આવ્યો હતો.

આ વિશે મૃતક તાલીબના પિતા નૂરમહમદભાઈ ચાંદભાઈ ચોટીયારાએ અકસ્માત સર્જીને ભાગી ગયેલા દૂધથી ભરેલા મેટાડોરના ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં એક જ પરીવારના કૌટુંબિક કાકા-ભત્રીજાના મોતથી પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…