
ઉત્તરાખંડમાં આવેલ રાનીખેત બ્લોકમાં રહેતા ગોપાલ દત્ત ઉપ્રેતીએ અભ્યાસ દિલ્હીથી કર્યો છે. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી લીધા પછી તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનાં કામમાં જોડાઈ ગયાં હતાં. સારી એવી કમાણી પણ થતી હતી. અંદાજે 15 વર્ષ સુધી એમણે આ કામ કર્યું, બાળકો તથા પરિવાર બધાં જ દિલ્હીમાં સાથે રહેતાં હતાં પરંતુ ત્યારબાદ લાઈફમાં કંઈક એવું થયું કે, દિલ્હીની હાઈફાઈ લાઈફસ્ટાઈલને છોડીને ગામડે પાછાં ફર્યા હતાં.
હાલમાં તેઓ કુલ 8 એકર જમીન પર ફળ તથા મસાલાની ખેતી કરી રહ્યા છે. વર્ષે કુલ 12 લાખ રૂપિયાનું ટર્નઓવર રહેલું છે. તેઓ દેશનાં પ્રથમ એવા ખેડૂત છે કે, જેમણે ઓર્ગેનિક ફાર્મિગ માટે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર 47 વર્ષના ગોપાલ જણાવતાં કહે છે કે, વર્ષ 2012માં મિત્રોની સાથે હું યુરોપ ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચામાં જવાનું થયું હતું. ત્યાંનું વાતાવરણ, બરફવર્ષા, જમીન અનુક અંશે મને રાનીખેત જેવી લાગી હતી.
મેં વિચાર્યું કે, જ્યારે અહીં સફરજન ઉગાડી શકાય છે તો ઉત્તરાખંડમાં પણ કેમ ન ઉગાડી શકાય. મારા માટે આ ટર્નિગ પોઈન્ટ હતો. તેઓ જણાવતાં કહે છે, ત્યાંથી પાછાં ફર્યા પછી થોડાં દિવસ સુધી મારા મનમાં અણસમજની સ્થિતિ બનેલી હતી કે, શું કરું, કઈ રીતે કરું. ત્યારપછી મેં એ જાણવાનો પ્રયત્ન શરૂ કર્યો કે, આ ખેતી માટે તાલીમ ક્યાંથી લેવી, શું પ્રોસેસ હોય છે. ત્યારબાદ હું નેધરલેન્ડ ગયો. ત્યાં કેટલાંક એક્સપર્ટને મળ્યો તેમજ સફરજનની ખેતીની સમગ્ર પ્રોસેસને સમજ્યો.
આ દરમિયાન થોડા દિવસો માટે ફ્રાંસ પણ જવાનું થયું હતું. ત્યાં પણ સફરજનની ખેતી કઈ રીતે થાય છે એ જોઈને કાયદેસર રીતે ત્યાં પણ તાલીમ લીધી. ગોપાલ જણાવતાં કહે છે કે, ત્યારબાદ મેં નક્કી કરી લીધું કે, હવે સફરજનની ખેતી કરવી છે. પરિવારને જણાવ્યું તો તમામ લોકોએ વિરોધ કર્યો. પત્નીએ જણાવ્યું, જામેલું કામ છોડીને રિસ્ક લેવું યોગ્ય નથી. મેં એને સમજાવી તથા ખેતીથી થતાં લાભ વિશે જાણ કરી.
ત્યારબાદ હું વર્ષ 2014-’15માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થઈ ગયો હતો. પરિવાર તથા બાળકો દિલ્હીમાં જ રહેતાં હતાં. અહીં આવ્યા પછી ભાડાપટ્ટે જમીન લઈને ખેતીનાં કામની શરૂઆત કરી. મેં વિદેશથી પ્લાન્ટ મંગાવવાને બદલે હિમાચલ પ્રદેશમાંથી જ છોડ મંગાવ્યા હતાં. કુલ 3 એકર જમીન પર અંદાજે 1,000 છોડ વાવ્યા હતાં. ફક્ત 1 વર્ષ પછી એ પ્લાન્ટ્સમાં ફ્રૂટ્સ તૈયાર થઈ ગયાં.
તેઓ જણાવતાં કહે છે કે, ફ્રૂટ્સ તૈયાર થયા પછી અમારી સામે સૌથી મોટો પ્રશ્ન એ રહેતો હતો કે, હવે આ ફળોને ક્યાં વેચવા. જો કે, લોકલ માર્કેટમાં અમારા સફરજનની કિંમત યોગ્ય મળતી ન હતી. ત્યારબાદ મેં ગૂગલની મદદ લઈને એવાં સ્ટોર તથા કંપનીઓ વિશે માહિતી મેળવી કે, જેઓ ઓર્ગેનિક સફરજનની માંગ રાખે છે. એમને કોલ કરીને મારી પ્રોડક્ટ વિશે જાણકારી આપી.
કેટલાંક લોકોએ વિશ્વાસ ન કર્યો પણ જે લોકોએ શરૂઆતના સમયમાં અમારી પાસેથી સફરજન લીધા એમનો રિસ્પોન્સ ખુબ જ સારો રહ્યો. ત્યારપછી તો ગ્રાહકો તથા માંગમાં વધારો થઈ ગયો હતો. ઘણાં લોકો તો એડવાન્સ બુકિંગ કરાવવા લાગ્યા હતાં. ગોપાલ સફરજનની સાથે જ હળદર, લસણ, કોથમીર સહિત ઘણાં મસાલાની પણ ખેતી કરી રહ્યાં છે.
તેઓ જણાવે છે કે, માત્ર 1 ઈંચ જેટલી જમીન પણ ખાલી ન રહેવી જોઈએ. આ વર્ષે જ એમણે કુલ 7 ફૂટની કોથમીર ઉગાડીને ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કોથમીરની ખાસિયત એ છે કે, એમાં પ્રોડક્શન નોર્મલ કોથમીરથી અંદાજે 10 ગણી વધારે થાય છે તથા ક્વોલિટી પણ સારી હોય છે. હવે તેઓ એની પેટન્ટ પણ કરાવવાના છે.
સફરજનની ખેતી કેવી રીતે કરવી?
ગોપાલ જણાવતાં કહે છે કે, સફરજનની ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ છે તાલીમ. કોઈ એક્સપર્ટ ખેડૂતની પાસેથી સફરજનની ખેતીને સમજવી ખુબ જરૂરી છે. જરૂર પડે તો થોડા દિવસ ખેડૂતની સાથે રહી તમામ નાની-મોટી જાણકારી મેળવવી જોઈએ. બીજી સૌથી અગત્યની વાત એ રહેલી છે કે, સફરજનની ખેતી માટે ઠંડા ક્ષેત્રવાળી જગ્યા હોવી ખુબ જરૂરી છે. પહાડી બર્ફીલા વિસ્તારમાં સફરજનની સારી ખેતી થાય છે. આની સાથે જ ધૈર્ય તથા ડેડિકેશનની પણ ખાસ જરૂર રહેલી હોય છે. પ્લાન્ટ્સની સારી કાળજી રાખવી પણ એટલી જ જરૂરી રહેલી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…