મર્યા પછી પાછો ઉઠ્યો આ યુવાન અને કહ્યું, મૃત્યુ પછી શું થાય છે

Published on: 2:27 pm, Fri, 16 July 21

20 મિનીટ બાદ ફરીથી જીવતો થયો શખ્સ 
60 વર્ષના સ્કોટ નામના શખ્સનો દાવો છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મોત થઇ ગયુ હતુ અને 20 મિનીટ માટે મૃત્યુ પામ્યો અને પછી પાછો જીવતો થઇ ગયો હતો.

ભગવાને પાછો મોકલ્યો 
સ્કોટનું કહેવું છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું એક્સિડેન્ટ થઇ ગયુ હતુ અને તેના હાથનો અંગૂઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેનુ મોત થયુ હતુ અને સ્કોટ 20 મિનીટ બાદ જીવતો થયો હતો. તેણે કહ્યું કે, તેણે બીજી દુનિયા જોઇ હતી અને ભગવાને તેને પાછો મોકલ્યો અને ભગવાને તેણે કહ્યું કે હજી તારો સમય આવ્યો નથી.

મર્યા બાદ શું થયુ 
સ્કોટે દાવો કર્યો કે મર્યા બાદ નર્સને વાત કરતા સાંભળી અને તેની બાજૂમાં એક શક્તિ હતી જે તેને એક ખુબસુરત મેદાનમાં લઇ ગઇ. તે મેદાનમાં રંગબેરંગી ફૂલ હતા, કમર સુધી મખમલી ઘાંસ હતુ અને સફેદ વાદળ તેને અડી રહ્યાં હતા. સુંદર વૃક્ષ હતા અને અનેક પ્રકાર ના લોકો હતા આવો નજરો તેણે આ પહેલા ક્યારેય જોયો નથી.

કેમ ફરીથી જીવિત થયો
સ્કોટે કહ્યું કે તે અદ્રશ્ય શક્તિ સાથે વાદળો તરફ ચાલી રહ્યો હતો પરંતુ કોઇએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે હજુ તારો સમય નથી આવ્યો અને તારે ઘણુ બધુ કરવાનુ બાકી છે. ત્યાર બાદ ઝટકા સાથે જે પોતાના શરીરમાં પાછો આવી ગયો હતો.