આંખને લગતી તમામ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે શરીરનું આ ખાસ તત્વ…

Published on: 10:52 am, Fri, 26 February 21

શરીર ઉપરના જે ઘાવ જે દવાથી સારા નથી થતા તેના ઉપર સવારે ઉઠતા જ વાસી મોઢા ને લાળ લગાવી જોઈએ. વાસી મોઢા ને લાળ દ્વારા પંદર-વીસ દિવસમાં ઘાવ ભરાઈ જાય છે અને ત્રણ મહિનાની અંદર ઘાવ એકદમ સારા થઈ જાય છે. ગેંગરીન જેવી બીમારીઓ બે વર્ષમાં સારી થઈ જાય છે. જાનવર પોતાના બધા જ ઘાવ લાલ વડે ચાટી ને જ મટાડે છે.

લાળમાં 18 પોષક તત્વો હોય છે જે માટીમાં હોય છે. શરીર ઉપર કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા હોય તે જગ્યા પર સવારની લાલ લગાવતા સારું થઈ જાય છે. એક્ઝિમા અને સોરાયસીસ જેવી બીમારીઓને પણ સવારની લાળ દ્વારા સારું કરી શકાય છે. એક વર્ષની અંદર સારું પરિણામ મળી જાય છે.

સવારની લાળ આંખમાં લગાવવાથી આંખની રોશની વધે છે. અને આવેલા ચશ્મા ના નંબર ઉતરી જાય છે. આંખ લાલ થવા ની બીમારી પણ સવારની લાલ લગાવવાથી સારું થઈ જાય છે. સવારની લાળ આંખમાં લગાડવાથી આંખમાં વેલ ની બીમારી પણ સારી થઇ જાય છે.

આંખની નીચે થયેલા કાળા ડાઘા ઓ માટે પણ સવારની લાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સવારે ઉઠીને 45 મિનિટ પછી મોઢા માં આવેલી લાળની ક્ષારતા ઓછી થઈ જાય છે.

જેટલી પણ તુટ્પેસ્ટ છે તે બધી એન્ટી-એલકલાઈન છે. જેમાં ખાસ પ્રકારનું કેમિકલ હોય છે જે મોઢા માં લાગેલી લાલ ગ્રંથિઓને સમગ્ર રીતે સૂકવી દે છે. લીમડાનું દાતણ કરતા સમયે મોઢામાં બનતી લાળ પીતા રહેવી જોઈએ.