મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ખેડૂતે પોતાના લસણને આગ લગાવી દીધી. કહેવાય છે કે આ ખેડૂત લસણનો પાક બજારમાં વેચવા આવ્યો હતો. અહીં જ્યારે તેને ઈચ્છિત કિંમત ન મળી ત્યારે ખેડૂતે ગુસ્સે થઈને બાઇકમાંથી પેટ્રોલ કાઢીને લસણને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ખેડૂતોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. આ અંગે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરી છે.
View this post on Instagram
અઢી લાખ ખર્ચ્યા, મળી રહ્યા હતા એક લાખ:
કહેવાય છે કે, આ વર્ષે મંદસૌરમાં લસણનો પાક ઘણો સારો રહ્યો છે. આ ખેડૂત ઉજ્જૈન જિલ્લામાંથી લસણનો પાક લાવ્યો હતો. આ માટે તેણે 5000 રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ બજારમાં તેના લસણની કિંમત પ્રતિ ક્વિન્ટલ માત્ર 1100 રૂપિયા મળી રહી હતી. આનાથી ગુસ્સે થઈને તેણે પોતાના લસણને આગ ચાંપી દીધી.
બીજી તરફ માર્કેટમાં આગના સમાચાર મળતા જ મંડીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે આ મામલાની માહિતી પોલીસને પણ આપવામાં આવી હતી. લસણને આગ લગાડનાર ખેડૂતનું નામ શંકર જણાવવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે તેણે લસણનો પાક ઉગાડવામાં 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ તેના બદલામાં તેને માત્ર 1 લાખ રૂપિયા જ મળતા હતા.
मंदसौर मंडी में शंकर सिरफिरा ने अपनी लहसुन की पैदावार को आग के हवाले कर दिया, शंकर की लागत ढाई लाख है, अभी तक फसल बेचकर सिर्फ एक लाख मिले हैं, मंडी में अक्सर कारोबारी दाम चढ़ने नहीं देते नुकसान किसानों का होता है pic.twitter.com/uZQ3Jl4Mnk
— Anurag Dwary (@Anurag_Dwary) December 19, 2021
કોંગ્રેસએ સાધ્યું નિશાન:
બીજી તરફ કોંગ્રેસે આ મામલે સવાલો ઉઠાવ્યા છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું, ‘કમલનાથજીએ આજે છિંદવાડામાં કહ્યું કે મંદસૌરમાં લસણના ખેડૂતો પરેશાન છે. તેમને વાજબી ભાવ નથી મળી રહ્યા અને આજે મંદસૌર મંડીમાં એક ખેડૂતે ઓછા ભાવ મળવા પર ભારત માતા કી જય બોલતા તેના લસણના પાકને આગ લગાવી દીધી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…