
કમોસમી વરસાદને કારણે ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ નૈનીતાલમાં 25 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહને કારણે પુલ તૂટી ગયા હતા. આ કારણે સ્થાનિક લોકો અને સેંકડો પ્રવાસીઓ ત્યાં ફસાયા છે.
બીજી તરફ, હળવદમાં ભારે વરસાદ પછી એક હાથી પણ ઓવરફ્લો થતા ગૌલા નદીમાં ફસાયો હતો. પૂરના પાણીની વચ્ચે ફસાયેલા હાથીએ પોતાની જાતને ખૂબ જ હોશિયારીથી બચાવી લીધો હતો. સોશિયલ મીડિયા પર હાથીનો આ વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો IFS અધિકારી સુરેન્દ્ર મહેરાએ પણ શેર કર્યો છે.
When an #elephant stuck in a swollen river in #Uttarakhand ..
But, ultimately it could cross over to forests..
Wild animals have some amazing #adaptations to natural events.#uttarakhandrains pic.twitter.com/DjqhCa6ZJq— Surender Mehra IFS (@surenmehra) October 19, 2021
સુરેન્દ્ર મહેરાએ વીડિયો શેર કરતી વખતે જણાવ્યું હતું કે, હાથી ઓવરફ્લો થતી નદીમાં ફસાઈ ગયો હતો. તેમ છતાં તે નદી પાર કરીને જંગલોમાં ચાલ્યો ગયો હતો. ખરેખર, જંગલી પ્રાણીઓ કુદરતી પાયમાલીનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે, વન વિભાગની ટીમે હાથીને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢીને તેને જંગલમાં છોડી દીધો હતો.
મંગળવારે DFO સંદીપ કુમારે વાયરલ થયેલા વીડિયોના સંબંધમાં કહ્યું હતું કે, તેમને હાથી નદીની વચ્ચે ફસાયેલા હોવાની માહિતી મળી હતી. તેમણે બચાવ ટીમને સ્થળ પર મોકલીને હાથીને બચાવ્યો છે. હાથીને જંગલમાં છોડવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, વન વિભાગની ટીમ સતત હાથી પર દેખરેખ રાખી છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનનાં બનાવો પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં પૂર અને વરસાદને કારણે 40 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત નૈનીતાલમાં થયા છે જ્યાં 25 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ધામીએ ઉધમસિંહ નગરમાં પૂર પીડિતોને મળ્યા બાદ માહિતી આપી હતી કે, રાજ્યમાં આફતમાં 40 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને જેમના મકાનો તૂટેલા છે તેમને 1 લાખ 9 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેમને પશુ નુકશાન થયું છે તેમને પણ મદદ મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…