
આગ્રામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની તમામ સંપત્તિ ડીએમના નામે કરી દીધી છે. તેણે પોતાનું વસિયતનામું બનાવ્યું અને તેની નકલ આગ્રા સિટી મેજિસ્ટ્રેટને સોંપી દીધી. વડીલ કહે છે કે તેઓ તેમના પુત્રોથી નારાજ છે. તેમના પુત્રો તેમની યોગ્ય રીતે કાળજી લેતા નથી, તો તેઓ પણ તેમની મિલકત તેમને આપવા માંગતા નથી. તેમની સંપત્તિની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયા છે.
ગણેશ શંકર તેના ભાઈઓ સાથે રહે છે. તેણે તેના ભાઈઓ નરેશ શંકર, રઘુનાથ અને અજય શંકર સાથે મળીને 1983માં જમીન ખરીદી અને ઘર બનાવ્યું હતું. થોડા સમય પછી મિલકતનું વિભાજન થયું. ગણેશ શંકર ચોથા ઘરના માલિક છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગણેશ શંકરના જણાવ્યા અનુસાર તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. કોઈ તેમની યોગ્ય કાળજી લેતું નથી. એકવાર તેને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. હાલમાં તે તેના ભાઈઓ સાથે રહે છે. પુત્રોથી પરેશાન થઈને તેણે આગ્રાના ડીએમ(કલેકટર)ને મિલકતનો પોતાનો હિસ્સો ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
ગણેશ શંકરે પોતાની વસિયતમાં લખ્યું છે કે ‘જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારી સંપતિનો માલિક હું જ રહીશ. જયારે મારું મોત થશે ત્યારે મારી બધી જ સંપતી કલેકટરના નામે થઇ જશે. હું મારા હોશો અવાજમાં આ વાત કહી રહ્યો છું અને હું કોઈ પણ માનસિક બીમારીથી પીડિત નથી.’
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…