સુખ-સુવિધાઓથી સજ્જ છે ગુજરાતનું આ ગામ- દુનિયાનાં સૌથી ધનિક ગામમાં થાય છે ગણના

Published on: 11:33 am, Sun, 19 September 21

ગામડાં વિશે તમારી વિચારસરણી શું છે? ગામ એટલે એક એવો વિસ્તાર છે કે, જ્યાં વધારે સુવિધા જોવા મળતી નથી આની સાથે જ ત્યાં હરિયાળી વધુ હોય છે, ખેતરોમાં કામ કરતા લોકો, માટીના ઘરો, ગાયના છાણથી આંગણામાં લીંપણ, માનવીઓ કરતાં વધારે પ્રાણીઓ વગેરેનો સમૂહ એટલે ગામડું.

જ્યારે પણ ગામડાની વાત કરવામાં આવે ત્યારે શાળા-કોલેજ અથવા તો બેંકની વાત થતી નથી પણ તેમના સાદા જીવનની વાતચિત કરવામાં આવે છે પણ જો અમે તમને એવા ગામ અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ફક્ત દેશનું જ નહીં પરંતુ કદાચ વિશ્વનું સૌથી ધનિક ગામ છે.

જો એમ હોય તો, તમે શું વિચાર કરશો? આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના માધાપર ગામની કે, જ્યાં એક-બે નહીં પરંતુ એકસાથે 17 જેટલી બેંકો છે કે, જેમાં ફક્ત ગ્રામજનોના 5,000 કરોડ રૂપિયા છે. હવે તમે વિચારતા હશો કે, હવે ધનવાન ગામ શા માટે કહેવાય છે?

આપને જણાવી દઈએ કે, તેની વસ્તી ફક્ત 92,000 છે. આ આંકડા પ્રમાણે જોઈએ તો આ ગામના તમામ નાગરિક પાસે અંદાજે 15 લાખ રૂપિયા રહેલા છે. ગામમાં અંદાજે 7,600 જેટલા મકાન આવેલા છે કે, જેમાં આ તમામ ગામલોકો રહે છે તેમજ અહીં ગામલોકો પોતાના ખેતરોની દેખરેખ રાખે છે.

માધાપર ગામ ક્યાં આવેલું છે?
ગુજરાતનો કચ્છ જીલ્લો સફેદ રણની સાથે આ એક ગામ માટે પણ ખુબ પ્રખ્યાત છે. આ ગામ માધાપાર છે કે, જેને 12 મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા સ્થાપિત ગામો પૈકીનું એક ગામ છે. આ જ મિસ્ત્રીઓએ ગુજરાતના મહત્વના મંદિરો તથા ઇમારતોનું બાંધકામ કરાવ્યું હતું.

ધીમે-ધીમે માધાપાર પ્રગતિ કરતો ગયો તેમજ વર્ષ 1884 માં સૌપ્રથમ છોકરાઓની સ્કૂલ આવી હતી. ત્યારબાદ વર્ષ 1900 માં અહીં એક કન્યા શાળા પણ ખોલવામાં આવી હતી. અનેકવિધ સમુદાયો અહીં વસવાટ શરુ કરવા લાગ્યા તેમજ હાલમાં ગામ ગુજરાતની સભ્યતાનો મહત્વનો ભાગ બની ગયુ છે.

નાનું એવું ગામ શહેરો કરતાં અમીર કેવી રીતે બન્યું?
અહીં રહેતા લોકોએ તેમના ગામની ચિંતા કરવાનું ક્યારેય બંધ કર્યું નથી. અહીં રહેતા લોકોના પરિવારમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયું છે કે, જેમાંથી કેટલાક લોકો અમેરિકા, બ્રિટન, આફ્રિકા, ખાડી દેશોનો ભાગ બની ચુક્યા છે. ગામલોકો વિદેશ ગયા હોવા છતાં, તેઓએ તેમના ગામની ચિંતા કરવાનું છોડ્યું નહીં તેમજ પરિવાર સાથે જ ગામને સમૃદ્ધ બનાવવા પૈસાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું.

લંડનમાં રહેતા લોકોએ માધાપર વિલેજ એસોસિએશનની રચના કરવામાં આવી હતી કે, જે કચ્છ માધાપાર કાર્યાલય તરીકે પણ ઓળખાય છે. જેની સ્થાપના જે લોકો બહાર રહેતા હોય તે મધાપારના નાગરિકો એકબીજા સાથે જોડાઈ શકે તેમજ ગામ વિશે વાત કરી શકે એ હેતુથી કરવામાં આવી હતી.

આ ગામની તેમની પોતાની વેબસાઇટ છે કે, જેનું નામ https://madhapar.uk/ છે. આ વેબસાઇટમાં, તમે ગામ સાથે સંબંધિત બધી જાણકારી મેળવી શકો છો તથા અહીં કેટલાક પ્રવાસી વિસ્તાર અંગે જાણકારી મેળવી શકો છો.  આ ગામમાં 1858 માં સ્થાપિત શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે.

આ ગામમાં લોકો તેમની જમીનનું ખાસ ધ્યાન રાખે છે. વિદેશ ગયેલા લોકો અહીં પૈસા મોકલે છે તેમજ અહીં વિકાસની જવાબદારી પણ લે છે. મધાપારમાં હાજર લોકોએ પોતાને એવી રીતે વિકસાવી છે કે, જેની કલ્પના પણ ન કરી શકાય. આજે હાલમાં અહીં ડેમ, હરિયાળી, તળાવ, કોલેજો, શાળાઓ, હોસ્પિટલો, બેન્કો, બધું આવેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…