
કોરોના ની બીજી લહેર બાદ, ભારતીય રેલ્વે ફરી એકવાર ટ્રેનોનું સંચાલન વધારી રહી છે. રેલ્વેએ ઘણી નવી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે અને કેટલીક ટ્રેનોનું આવર્તન પણ વધાર્યું છે. આવા સમયે ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે.
જી હા રેલ્વેએ ઘણી ટ્રેનોમાં વધારો કર્યો છે અને ટૂંક સમયમાં વધુ નવી ટ્રેનો દોડાવવાની યોજના છે. આ દરમિયાન રેલવેએ અમદાવાદથી નવી દિલ્હી અને આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી જતી ટ્રેનોની વધારી છે.
પિયુષ ગોહિલ ટ્વિટર પર જણાવ્યું કે કોવિડના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવા સાથે ઘણી ટ્રેનોનું અંતર વધારવામાં આવ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે ઘણી ટ્રેનોનું આવર્તન વધાર્યું છે. ચાલો જણાવીએ વિગતવાર.
માહિતી મુજબ ‘કોવિડના ઘટતા ચેપને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે સાથે હાલમાં ચલાવવામાં આવતી ટ્રેનોનું આવર્તન પણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ પૂરી પાડશે.’
તમને જણાવી દઈએ કે, અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનની ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે. 28 જૂનથી આ ટ્રેન દૈનિક દોડશે. આ સિવાય ડો.આંબેડકર નગરથી વૈષ્ણોદેવી જનારી ટ્રેન 1 જુલાઈથી ચાલુ થશે.