
આપણા દેશમાં ઘણા બધા રહસ્યમય મંદિરો આવેલા છે. અને દરેક મંદિરની પાછળ અલગ અલગ રહસ્ય પણ રહેલું હોય છે. દરેક મંદિરોમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. આ ઉપરાંત, ઘણા મંદિરોમાં તો ચમત્કાર થતા પણ જોવા મળતા હોય છે.
તેવું જ એક રાંદલમાનું મંદિર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ધોળા ગામના પાંચ કિલોમીટર દૂર દડવા ગામમાં આવેલું છે. રાંદલમાનું આ મંદિર નીચે વાવમાં આવેલું છે. આ મંદિરમાં ચોમાસાના પાણીનો અભિષેક સીધો માતાના ચરણે થાય છે.
જાણવા મળ્યું છે કે, આ મંદિરની પાછળ પણ એક રહસ્ય છે. આ મંદિર એક લીમડાની નીચે છે અને આ લીમડાની એક જ ડાળ મીઠી છે અને બાકીની કડવી છે. ઉપરાંત, આ મંદિરની બહાર એક કૂવો આવેલો છે જેની પણ એક ખાસિયત છે. આ કુવામાં સિક્કો નાખવાથી માંગેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.
આ કૂવાની બાજુમાં બીજા મંદિરો પણ આવેલા છે. અહીંયા રાંદલમાતાજીના મંદિરમાં ભક્તો દૂર-દૂરથી તેમની મનોકામનાઓ માંગવા માટે આવે છે અને બધા જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે. આ ઉપરાંત, એવું પણ કહેવાય છે કે રાંદલમાંના પાંચ ભાઈઓ છે અને તેમનુ નામ વાસ્તુદેવ છે. જયારે પણ કોઈ વ્યક્તિ તેમનું નવું ઘર બનાવે તો તે પહેલા વાસ્તુદેવની પૂજા કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…