
હાલમાં એક ભગવાનમાં શ્રધ્ધા રાખનાર લોકો માટે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. શિવમંદિરમાં વિજળી પડતાં કંઈક એવું બન્યું છે કે, લોકો ભોળાનાથનો ચમત્કાર માનવા લાગ્યા હતા. ગઈકાલે વરસાદ દરમિયાન એક ગામમાં એકસાથે 4 વીજળી પડી હતી.
આ દરમિયાન ગામમાં જૂના શિવમંદિરમાં જોરદાર ધડાકો થયો હતો તેમજ ધૂમાડો આવવા લાગ્યો હતો. વરસાદ બંધ થતાં ગામલોકો મંદિરમાં પહોંચી ગયા હતા તેમજ ત્યાં જઈને સૌકોઈએ જોયું તો ચોંકી ઉઠ્યા હતા. હરિયાણામાં આવેલ કરનાલ જિલ્લાના મદનપુર ગામમાં ગઈ કાલે વિજળી પડતા શિવમંદિરના ગુંબજનો ઉપરનો ભાગ અને દીવાલમાં તિરાડો પડી ગઈ હતી.
આની સાથે જ જમીન પર ત્રિશૂળનું નિશાન જોઈને ગામલોકો ચોંકી ઉઠ્યા હતા. લોકોએ મોબાઈલમાં આ તસવીર ક્લિક કરીને અન્ય લોકોને પણ શૅર કરી હતી. કેટલાંક લોકોએ આ તસવીરને ભોલેનાથની અસીમ કૃપા ગણાવી હતી. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, ભગવાન શિવે ખુબ મોટા સંકટમાંથી ઉગારી લીધા છે.
ગામલોકોએ સરકારને મંદિરનું પુન:નિર્માણ કરવાની વિનંતી કરી છે. નગર નિગમના કાઉન્સિલરના પ્રતિનિધિ રાજેન્દ્ર સિંહ, સચદેવ કશ્યપ, રવિન્દ્ર જણાવે છે કે, આ મંદિરનો ગુંબજ લગભગ 90 ફૂટ ઊંચો છે કે, જેમાં 10 ફૂટનો ભાગ વીજળીને લીધે ક્ષતિગ્રસ્ત થયો છે.
વરસાદને લીધે વીજળી પડતાં જોરદાર ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે, મંદિરનો કાટમાળ આજુબાજુના ઘરમાં પણ પડ્યો હતો. વરસાદને લીધે ગામલોકો ઘરની બહાર નીકળ્યા ન હતા. વીજળી પડવાથી કેટલાક ઘરમાં ઇલેક્ટ્રિક સાધનો ખરાબ પણ થઈ ગયા છે.
ગામવાસીઓ જણાવે છે કે, વીજળીને લીધે વીજળીનું મીટર, ઇનવર્ટર, પંખા સહિત વીજળીના બધા જ ઉપકરણો સળગી ઉઠ્યા હતા તેમજ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ચર્ચામાં આવ્યું છે. વીજળી ગુંબજમાંથી થઈને અંદર સુધી આવી હતી પણ મંદિરને કોઈ નુકસાન થયું નહીં.
ગામલોકો દ્વારા આને ભગવાન શિવનો મહીમા તેમજ ચમત્કાર ગણાવ્યો હતો.ગામવાસીઓ જણાવે છે કે, જે રીતે પૃથ્વીને સંકટમાંથી બચાવવા ભગવાન ક્યારેક સમુદ્રમાંથી પ્રગટ્યા તો ક્યારેક જાતે જ ઝેર પીધું હતું તે જ રીતે ગામ લોકો માટે સંકટ પોતાના માથે ધારણ કર્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…