
કાળી છોતરા વાળી અડદ ની દાળ ખાવા માટે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન બી 6, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં પોષક તત્વોજોવા મળે છે. તે હૃદયથી નર્વસ સિસ્ટમ સુધીની દરેક વસ્તુ માટે સારી માનવામાં આવે છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.
પેટની સમસ્યાઓથી થાય છે રાહત:
અડદની દાળ ફાઈબરથી ભરપુર હોય છે, જેના કારણે તે પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક છે. અડદની દાળ પાચનમાં સુધારો કરે છે. લીવરને સ્વસ્થ બનાવવા માં પણ મદદ કરે છે.
થાક અને નબળાઇ માં રાહત આપે છે.
અડદની દાળમાં આયર્ન થી ભરપુર હોય છે, જે શરીરમાં લોહીનો અભાવ દૂર કરે છે, સાથે જ થાક અને નબળાઇને પણ દૂર કરે છે.
હાડકાઓમાં ખનિજ તત્ત્વો નો વધારો કરે છે.
વધતી ઉંમર સાથે, હાડકાં નબળા થવા લાગે છે જેના કારણે ઓસ્ટીયોપોરોસિસ જેવી ઘણી સમસ્યાઓ થાય છે. અડદની દાળમાં હાજર પોષક તત્વો હાડકાઓમાં ઘનતા વધારવાનું કાર્ય કરે છે.
ગેરફાયદા શું છે ?
કોઈ વસ્તુ ભલે ફાયદાકારક હોય, તે વધુ પ્રમાણમાં હાનિકારક પણ હોય છે. અડદની દાળનું વધુ પડતું સેવન કરવાથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ, કિડનીમાં કેલસિફિકેશન સ્ટોનનું જોખમ અને પિત્તાશયની પથરી અથવા સંધિવા સાથેની સમસ્યાઓમાં પણ વધારો થઈ શકે છે. આ સિવાય જે લોકોને પહેલાથી ગેસ અથવા કબજિયાતની સમસ્યા હોય ને લોકો પણ મુશ્કેલી માં મુકાઈ શકે છે.