છેલ્લા થોડા દિવસથી સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારનાં ભયંકર દ્રશ્યો સર્જાયા છે ત્યારે હાલમાં અતિભારે વરસાદને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સોમવારનાં રોજ સૌરાષ્ટ્રના 3 જિલ્લા એટલે કે, રાજકોટ, જામનગર તથા જૂનાગઢમાં 22 ઇંચ જેટલો વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જામનગરમાં આવલે કાલાવડ તાલુકામાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થઈ જતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં રવિવારની મોડી રાતથી સોમવારની રાત્રે 11.00 સુધીમાં એટલે કે, ફક્ત 24 કલાકમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેમજ જામનગર તથા રાજકોટ જાણે પૂરના પાણીમાં ડૂબી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચથી તળિયાઝાટક થવાની અણી પર રહેલા ડેમ ભાદરવામાં ભરપૂર મેઘથી છલકાઈ ગયા છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચુક્યા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ બાકી રહ્યું છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થઈ ચુક્યા છે. આની સાથે જ ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થઈ ચુક્યા છે.
આની સાથે જ ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલમાં સપાટી 28 ફૂટને પાર થઈ ચુકી છે. જેને લીધે ડેમ છલકાવામાં ફક્ત 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90% થી વધારે ભરાઈ ચુક્યો છે કે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જામનગરના બાંગા ગામમાં થયું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ:
જામનગરના ધૂડશિયા, કુન્નડ તથા બાંગા ગામમાંથી 16 લોકોને એરલિફ્ટ કરી બચાવી લેવામાં આવ્યા હતા. NDRF તથા ફાયરની ટીમની સાથે મળીને અંદાજે 340થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લામાં આવેલ આલિયા ગામે લોકો મકાન પર ફસાઈ જતાં તેમને દોરડા બાંધી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
જામનગરનાં માર્ગ પર 4 ફૂટ પાણી ભરાતાં લોકોને બોટમાં રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લા પંચાયતની ઓફિસમાં પાણી ઘૂસતાં કામગીરી અટકાવાઈ હતી.
સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં આવેલ માધવરાયજી મંદિર છત સુધી ડૂબી ગયું હતું.
રાજકોટમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી મધ્યમ વર્ગીય લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…