ખેડૂતો જો આરીતે સિંચાઇ કરશે તો ખર્ચ ઓછો અને પાકમાં થશે વધારો

Published on: 6:00 pm, Sat, 17 July 21

કેન્દ્ર સરકાર દેશના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત સિંચાઈની પદ્ધતિઓમાં મોટા ફેરફાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે પણ દેશના ખેડૂતો પરંપરાગત રીતે સિંચાઈ કરે છે. પરંતુ ડીઝલ અને વીજળીના વધતા ભાવોએ તેને ખૂબ ખર્ચાળ બનાવ્યું છે અને ખેતી ખર્ચમાં ખુબજ વધારો થયો છે. આ કારણે સરકાર હવે માઇક્રો ઈરિગેશન સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે.

માઇક્રો ઈરિગેશન સિસ્ટમ એટલે કે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિથી સિંચાઈના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને ઉત્પાદકતામાં વધારો કરે છે, જે સીધી ખેડૂતોની આવકને અસર કરે છે અને તેમને વધુ નફો મળે છે. આ જ કારણ છે કે ભારત સરકાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે અને ખેડૂતોને તેનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

સિંચાઇ પદ્ધતિ ના ફાયદા ઓ

સૂક્ષ્મ સિંચાઈના ઘણા ફાયદા છે. તેનાથી ઉર્જા અને ખાતરો પરના ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદકતામાં વધારો થાય છે. સરકાર હવે ખાસ કરીને પાણીની અછતને ધ્યાનમાં રાખીને સિંચાઈ પદ્ધતિમાં ફેરફાર કરવા માંગે છે. નિષ્ણાતો માઇક્રો સિંચાઈ તકનીકનો ઉપયોગ કરીને 49 % સુધીની પાણીની બચતનો દાવો કરે છે.

આ પદ્ધતિ દ્વારા પાણી સાથે ખાતરના દ્રાવણને મિશ્રિત કરવાથી 19 % સુધી બચત થશે અને ઉત્પાદનમાં વધારો થશે. માઇક્રો સિંચાઈમાં ટપક સિંચાઈ, માઇક્રો સ્પ્રિંકલર, સ્થાનિક સિંચાઈ વગેરેનો સમાવેશ થાય છે.

કૃષિ ક્ષેત્ર 80 થી 85 ટકા પાણીનો વપરાશ કરે છે, જ્યારે દેશના ઘણા ભાગોમાં પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરમાં પાણી ભરી દેવાની પદ્ધતિથી પાણી અને પૈસા બંને વધુ ખર્ચાળ સાબિત થાય છે. એટલું જ નહીં, જમીનમાં નાખેલ ખાતર પણ નીચે જાય છે. આથી ખેડૂતોને નુકસાન થાય છે અને ઉત્પાદકતા ઘટી જાય છે.