ખુબ જ અનેરો છે રાજસ્થાન પર્વત પર બિરાજમાન સુંધા માતાનો ઈતિહાસ, દર્શન માત્રથી જ પૂરી થાય છે દરેક મનોકામના

Published on: 2:52 pm, Wed, 18 May 22

ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે. ભારતમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો પણ આવેલા છે. ત્યારે આજે અમે તમને એવા જ એક ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. “સુંધા માતા”નું પ્રખ્યાત મંદિર રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના જસવંતપુરાથી 12 કિમી દૂર દાંતલાવાસ ગામ પાસે આવેલું છે.

સુંધા પર્વતના શિખર પર સ્થિત ચામુંડા માતા ‘સુંધા માતા’ તરીકે ઓળખાય છે. પુરાણો અનુસાર, જાલોરના શાસક ઉદય સિંહના પુત્ર જાલોરના રાજા ચાચિગદેવ દ્વારા આ ચામુંડા માના મંદિરમાં એક મંડપ બાંધવામાં આવ્યો હતો. આ મંદિર સફેદ રંગના આરસ પથ્થરમાંથી બનેલું છે.

સુંધા માતા મંદિરની કોતરણી દેલવાડાના જૈન દેરાસર જેવી હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે, આ મંદિર બાર સ્તંભો પર બાંધવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુ ભકત દ્વારા માતાજીને વિશાળ ત્રિશૂળ પણ અર્પણ કરવામાં આવ્યું છે. સુંધા પર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું. તેથી તેઓ અધટેશ્વરી તરીકે પણ પ્રખ્યાત થયા છે.

આ મંદિર આશરે 900 વર્ષ જેટલું જૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાચીન સમયમાં મા ચામુંડાને દારૂ અર્પણ કરવામાં આવ્યો હતો. પરંતુ, માલવાડાના ઠાકુર દુર્જનસિંહ દ્વારા 1976થી દારૂ બંધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સાત્ત્વિક સ્વરૂપની પૂજાવિધિ પણ શરૂ કરવામાં આવી હતી.

સુંધા શિલાલેખ મુજબ, રાજા ચાચીગદેવે ગુજરાતના રાજા વિરમને મારવાના હતા. શત્રુ શલ્યને અપમાનિત કરવાના હતા અને પાટુકને હરાવવાના હતા. તેમાંથી વિરમ ગુજરાતનો પ્રતાપી રાજા હતો. ચામુંડા માતાના દર્શન કરવા માટે ભક્તો સીડીઓ ચઢીને મંદિરે જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…