
હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ ગર્વ થશે. રાજ્યમાં આવેલ જામનગર શહેરમાં રહેતી ફક્ત દોઢ વર્ષીય બાળકી વિજુને અમદાવાદમાં આવેલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં નવજીવન મળ્યું હતું. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની ‘રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ’ એટલે કે,RBSK યોજના અંતર્ગત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું.
દોઢ વર્ષીય બાળકીના હૃદયમાં કાણું હતું:
જામનગર જિલ્લામાં આવેલ લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા તેમજ સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું હતું કે, જ્યારે તેમને જાન થઈ કે, તેમની દોઢ વર્ષીય વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું હોવાનું તથા હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે, તેનાં માટેની સારવાર માટે વિજુને અમદાવાદ લઈ જવી પડશે.
ખાનગી હોસ્પિટલે ઓપરેશનના 4 લાખ રૂપિયા માગ્યા :
ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈ જણાવે છે કે, “જન્મ બાદ વિજુને પેટમાં ડાબી બાજુ ખાડો પડતો હતો કે, જેની તપાસ કરાવવા માટે અમે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં હાજર તબીબે કહ્યું હતું કે, વિજુના હૃદયમાં કાણું છે તથા તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી ખુબ જરૂરી છે.
જેથી આગળની સારવાર માટે ખંભાળિયા તેમજ ત્યારપછી જામનગરની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવીને ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જાણવા મળ્યું કે, આ ઓપરેશન માટે કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ સાંભળતા જ અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી.
અમદાવાદમાં રહેતા સંબંધીએ અમને ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત સંદર્ભ કાર્ડ કઢાવવાનું સૂચન કર્યું હતું. આ કાર્ડને લીધે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં તેમજ આવવા જવાના મુસાફરીના ભાડાની સાથે સરકાર દ્વારા અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરીને અમારી વિજુનો જીવ બચાવ્યો છે.
બાળકીનું યુ.એન મહેતા હોસ્પિટલમાં થયું નિઃશુલ્ક ઓપરેશન:
જામનગરની યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનો નારણભાઇએ સંપર્ક કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તરત જ વિજુને એડમીટ કરવાની તારીખ આપીને હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ વિજુના મેડીકલ રિપોર્ટસ, નિદાન તેમજ ઓપરેશનની પ્રક્રીયા શરુ કરી દેવાઈ હતી.
યુ.એન મહેતામાં દર વર્ષે 1,000થી વધુ બાળકોની કાર્ડિઆક સર્જરી:
ઇન્સ્ટિટ્યુટના ડૉ. આર. કે. પટેલ જણાવતા કહે છે કે, રાજ્યના આરોગ્ય તંત્રની આ એક સિદ્ધિ છે કે, આપણે ગુજરાત તથા રાજ્ય બહારના નવજાત શિશુઓ તથા નાના બાળકોની હૃદયની બિમારી દુર કરવા માટે સર્વોત્તમ સુવિધાયુક્ત હોસ્પિટલ આપી શક્યા છીએ.
જામનગરની વિજુની જેમ હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર વર્ષે હજારથી પણ વધારે બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ઈન્ટેસ્ટવિસ્ટ તથા નર્સિગ સ્ટાફની ઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે રહેતી હોય છે.