વિશ્વમાં પ્રથમ વખત માણસમાં ધબકશે ડુક્કરનું હ્રદય- ડોક્ટરોએ 57 વર્ષના દર્દીને 7 કલાકની સફળ સર્જરી કરીને આપ્યું નવજીવન

Published on: 3:10 pm, Tue, 11 January 22

અમેરિકી તબીબોએ 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીને શાનદાર કામ કર્યું છે. શુક્રવારે આ ઐતિહાસિક સર્જરી કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલના ડોક્ટરોએ સોમવારે આ અંગેની માહિતી આપી છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, 7 કલાક સુધી ચાલેલી સર્જરી બાદ દર્દીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, આ ઓપરેશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું કે નહીં તે અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.

મેરીલેન્ડના રહેવાસી ડેવિડ બેનેટ લાંબા સમયથી હૃદયની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જેમ જેમ સમસ્યા વધતી ગઈ તેમ, છેલ્લા વિકલ્પ તરીકે ડુક્કરના હૃદયને ટ્રાન્સપ્લાન્ટ કરવાની યોજના બનાવવામાં આવી. જ્યારે ડેવિડ બેનેટને આ વિશે કહેવામાં આવ્યું તો તેણે કહ્યું કે મારી સામે બે જ વિકલ્પ છે, મૃત્યુ અથવા ટ્રાન્સપ્લાન્ટ. તે અંધારામાં તીર મારવા જેવું છે, પણ મારે જીવવું છે.

સર્જરી કરનાર ડો.બાર્ટલી ગ્રિફિથે જણાવ્યું કે, આ સર્જરી બાદ અમને દરરોજ નવી માહિતી મળી રહી છે. ટ્રાન્સપ્લાન્ટના આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. દર્દીના ચહેરા પર સ્મિત જોઈને આનંદ થાય છે. જો કે, પિગ હાર્ટ વાલ્વનો પણ દાયકાઓથી માનવીઓ માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે.

ડોક્ટરોના મતે જો આ સર્જરી સફળ થશે તો વિજ્ઞાનના ક્ષેત્રમાં આ એક મોટો ચમત્કાર હશે. આ સાથે, વર્ષોથી, તે પ્રાણીઓના અંગોને માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની શોધમાં એક મોટું પગલું સાબિત થશે. ટ્રાન્સપ્લાન્ટ પછી, ડુક્કરનું હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ડેવિડ બેનેટ હાલમાં હાર્ટ-લંગ બાયપાસ મશીન પર છે. અહીં ડોક્ટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. આગામી થોડા અઠવાડિયા તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શા માટે માત્ર ડુક્કરનું જ હૃદય?
અંગ પ્રત્યારોપણ અહેવાલો સૂચવે છે કે ડુક્કરના હૃદય મનુષ્યમાં પ્રત્યારોપણ માટે યોગ્ય છે, પરંતુ ડુક્કરના કોષોમાં આલ્ફા-ગેલ સુગર સેલ હોય છે. માનવ શરીર આ કોષને સ્વીકારતું નથી, જેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, પ્રથમ ડુક્કરને આનુવંશિક રીતે સંશોધિત કરવામાં આવ્યું હતું.

કટોકટીના ઉપયોગ માટે FDA મંજૂર
વિશ્વની ઘણી બાયોટેક કંપનીઓ માનવ પ્રત્યારોપણ માટે ડુક્કરના અંગો વિકસાવી રહી છે. આ ઓપરેશનમાં વપરાતું હૃદય પણ યુનાઈટેડ થેરાપ્યુટિક્સની પેટાકંપની રેવવીકોર પાસેથી આવ્યું હતું. ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન પ્રયોગની દેખરેખ રાખનાર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કટોકટીના ઉપયોગ માટે ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…