
મોદી સરકાર દ્વારા દીકરીઓના જન્મને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેને લઈ અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે કે, જેમાં દેશની દીકરીઓને સહાય મળી રહે. દીકરી એ મા-બાપનો શ્વાસ રહેલો છે કે, જેને સમય આવ્યે લીધા વિના પણ નથી ચાલતું.
જયારે સમય આવ્યે છોડ્યા વિના પણ નથી ચાલતું. દીકરીનો સૌપ્રથમ જન્મદિન હોય ત્યારે મા-બાપ કે પરિવાર હશે કે તેને ધામધૂમથી ઉજવ્યા વિના રહી ન શકે પરંતુ રાજકોટમાં રહેતા જાડેજા પરિવારે પોતાની દીકરીનો સૌપ્રથમ જન્મ દિન ઉજવવાની જગ્યાએ નિર્ણય લીધો કે, સમાજને પ્રેરણા પુરો પાડી રહ્યો છે. જાડેજા પરિવાર દ્વારા કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 5 દીકરીને દત્તક લઈને તેના શિક્ષણની પણ જવાબદારી ઉઠાવવામાં આવી છે.
લાડકીના જન્મદિવસને સામાજિક દાયિત્વનો અવસર બનાવ્યો:
રાજકોટના જે.એમ.જે. ગ્રુપના મયૂરધ્વજસિંહ જાડેજાના પરિવારમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે, એમની દીકરીનો જન્મદિવસ છે તેમજ આજનાં દિવસને જાડેજા પરિવાર યાદગાર બનાવીને ‘દીદીનો દીદીને વ્હાલ’ આપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
‘દીદીનો દીદીને વ્હાલ’કાર્યક્રમનું આયોજન કરાયું:
મયૂરધ્વજસિંહ દ્વારા સામાજિક અભિયાનના ભાગ સ્વરૂપે ‘દીદીનો દીદીને વ્હાલ’કાર્યક્રમ આયોજીત થયો હતો કે, જેમાં કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર શહેરની 5 દીકરીઓના આધાર બની પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીના અભ્યાસની ફીની જવાબદારી ઉપાડવા જાડેજા પરિવાર સંકલ્પ લીધો છે.
પ્રાથમિકથી માંડી કોલેજ સુધીની ફી ભરી આપશે:
મયૂરધ્વજસિંહ જણાવે છે કે, મારી દીકરીના જન્મદિનને યાદગાર બનાવવા માટે અનોખી ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આજે 5 દીકરીઓને દત્તક લઇ તેમના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે કે, જે 5માંથી 1 દીકરી નર્સિંગનો અભ્યાસ કરી રહી છે તેમજ તેની પણ કોલેજ ફી અને આગળ અભ્યાસની ફી આપવા નિર્ણય કર્યો છે.
વર્ષ 2019માં 86 દિકરીઓના સમૂહલગ્ન કરી કરિયાવર આપ્યો હતો:
આની સાથે જ આ બાળકોને પ્રતિ માસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિઃશુલ્ક પીકનીક પર લઇ જવાની જવાબદારી પણ જાડેજા પરિવાર દ્વારા લેવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપ દ્વારા સામાજિક યોગદાન સ્વરૂપે ડિસેમ્બર વર્ષ 2019માં એકસાથે 86 દિકરીઓને કરિયાવર સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન, કોરોનાકાળની પ્રથમ લહેરમાં પ્રતિદિન અનેક લોકોને ભોજન તેમજ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના બાટલાની અથાગ સેવા કાર્યો પણ સમાજને અર્પણ કરાયા હતા..