
Blood donners of Odisha Balasore train accident: ઓડિશા (Odisha train accident) ના બાલાસોર ટ્રેન દુર્ઘટના (Balasore train accident) થી આખો દેશ આઘાતમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો, સામાન્ય લોકોએ પણ મોરચો સંભાળ્યો છે. ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે. માનવતાનું એક મહાન ઉદાહરણ રજૂ કરતા, ઓડિશાના યુવાનો પીડિતોને મદદ કરવા માટે સંસાધનોથી લઈને તેમના લોહી સુધી બધું આપવા તૈયાર છે. આ જ કારણ છે કે બાલાસોર હોસ્પિટલમાં રક્તદાન માટે ભીડ ઉમટી રહી છે.
ઓડિશાના બાલાસોર જિલ્લાની હોસ્પિટલોમાંથી બહાર આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સેંકડો સ્થાનિક યુવકો ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને લોહી આપવા માટે કતારમાં ઉભા છે. પોતાના વાહનોમાં આવીને તેઓ આકરી ગરમીમાં પણ રક્તદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એઈમ્સ ભુવનેશ્વરથી ડોક્ટરોની બે ટીમને અકસ્માત સ્થળ બાલાસોર અને કટક મોકલવામાં આવી છે. અમે લોકોના અમૂલ્ય જીવનને બચાવવા માટે તમામ જરૂરી મદદ અને તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ. રેલવે દ્વારા સોરો મેડિકલ યુનિટમાં ઘાયલ મુસાફરોને રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવી હતી.
રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય વાયુસેના દ્વારા બે Mi-17 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર રેલ્વે અધિકારીઓ સાથે સંકલન કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણી વધારાની બસો અને ટ્રેનના કોચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન તરફ મોકલવામાં આવી રહ્યા છે.
ટ્રેન દુર્ઘટના વિશે માહિતી આપતા NDRFના મહાનિર્દેશક અતુલ કરવલે કહ્યું, ‘તે ખૂબ જ દુ:ખદ ઘટના છે, જીવ અને સંપત્તિનું મોટું નુકસાન છે… NDRFની નવ ટીમો – 300 થી વધુ બચાવકર્તા (જવાનો) – SDRF અને કાર્યરત અન્ય એજન્સીઓ કામ કરી રહી છે. આપણા ઈતિહાસમાં આ ત્રીજી મોટી ઘટના છે. જે ઝડપે ત્રણેય ટ્રેનો અથડાયા તેના પરિણામે કેટલાય કોચ પાટા પરથી ઉતરી ગયા અને ખરાબ રીતે નુકસાન થયું.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટ્રેન દુર્ઘટના બાદ દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા છે. પીએમએ આ ટ્રેન દુર્ઘટનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. તે જ સમયે, બે કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
મૃતકોના પરિવારજનોને 12-12 લાખ રૂપિયા
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે, ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. રેલ્વે મંત્રીએ મૃતકોના નજીકના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2-2 લાખ રૂપિયા અને નજીવા ઇજાગ્રસ્તોને 50-50 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…