દ્રૌપદી મુર્મુએ આજે ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામને તેમને પદના શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મુના શપથ લીધા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું છે.
મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર ભાજપનો રાજકીય એજન્ડા ચલાવવા અને પૂરો કરવાનો આરોપ લગાવ્યો છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું, ‘ચાલે તે કલમ 370, નાગરિકતા અધિનિયમ (CAA) વિશે હોય કે લઘુમતીઓ કે દલિતોને નિશાન બનાવવાની વાત હોય. તેમણે ભારતીય બંધારણના નામે ભાજપનો રાજકીય એજન્ડા પૂરો કર્યો.
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022
જણાવી દઈએ કે, મહેબૂબા મુફ્તીએ ‘હર ઘર તિરંગા અભિયાન’ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી) પર પણ નિશાન સાધ્યું હતું. “જે રીતે J&K માં વહીવટીતંત્ર વિદ્યાર્થીઓ, દુકાનદારો અને કર્મચારીઓને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ચૂકવણી કરવા દબાણ કરી રહ્યું છે, એવું લાગે છે કે કાશ્મીર એક દુશ્મન પ્રદેશ છે જેને કબજે કરવાની જરૂર છે,” તેમણે ટ્વિટ કર્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…