ભગવાન શિવના કેટલાક ભાવિક ભક્તો મહાદેવને રાજી કરવા માટે વ્રત-ઉપવાસ તથા ભક્તિ કરીને રાજી કરતા હોય છે. ત્યારે ગોરખપુરથી એક અનોખી ઘટના સામે આવી છે કે, જેમાં એક મહિલાનું મોત ચર્ચાનો વિષય બન્યું છે. કારણ કે, આ મહિલા શિવલિંગને વંદન કરી રહી હતી ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. હકીકતમાં, નૌસાદ ચોકી હેઠળ આવતા હરૈયા ગામના શિવ મંદિરમાં પરણિત મહિલા સવારનાં 4:00 વાગ્યે પૂજા કરવા માટે ગયા હતા.
આ દરમિયાન શિવલિંગ પર માથું ટેકવતાં જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકના પૌત્ર રમેશ કુમાર જણાવે છે કે, 58 વર્ષનાં જમુના પ્રસાદ કસોધનની પત્ની વિભક્તિ દેવી સવારે 4:00 વાગ્યે પોતાના ઘરની નજીકના શિવ મંદિરમાં પૂજા કરવા માટે ગયા હતા.
એમની સાથે તેમના પતિ પણ હતા. આ દરમિયાન એમના પતિ જમુના પ્રસાદે જોયું કે, વિભક્તિ દેવી શિવલિંગ પર નમન કરે છે, ત્યારબાદ વિભક્તિ દેવીએ ખુબ લાંબા સમય સુધી કોઈ હિલચાલ ન કરતા જમુના પ્રસાદે તેની પત્ની વિભક્તિ દેવીને બુમ પાડી હતી.
અવાજ સાંભળ્યા બાદ પણ, જ્યારે કોઈ જવાબ ના મળ્યો તો જમુના પ્રસાદે તેને સ્પર્શ કર્યો ત્યારે તેણે જોયું હતું કે, દેવી ભક્તિ દેવી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમને અડતા જ તેઓ નીચે પડી ગયા હતા. જમુના પ્રસાદને બે દીકરા તથા 3 દીકરીઓ છે. પરિવારના સભ્યો જણાવે છે કે, બાળપણથી જ પૂજામાં વ્યસ્ત વિભક્તિ દેવીનું નિધન થયું હતું.
જ્યારે તેઓ દર્શન કરવા માટે ગયા ત્યારે આ અંગે નરેન્દ્ર કુમાર નંદુ પડોશી જણાવે છે કે, તેઓ સવારમાં બુમ પાડવાનો અવાજ આવ્યો, જ્યારે અમે દોડતા દોડતા મંદિર પહોંચ્યા ત્યારે જોયું કે, તે શિવલિંગ પર જ પડેલ હતા. અમે તેમને ઉપાડીને બહાર લઇ આવ્યા. અમે ચેક કરવા માટે પાસેની હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા કે, જ્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…