
તમને ઘણા લોકોના ઘરમાં ધનવેલ જોવા મળશે. કારણ કે, એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ્સ ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને જો મની પ્લાન્ટ ઝડપથી વિકસી રહ્યો છે તો તે તેમની આવક અને નફામાં વધારો થવાનો સ્પષ્ટ સંકેત છે. આજે અમે તમને કેટલાક ખૂબ જ ચમત્કારીક ઉપાય જણાવી રહ્યા છીએ. જે ઉપાય તમને રાતોરાત માલામાલ પણ બનાવી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ વધતા મની પ્લાન્ટથી તમને વધુમાં વધુ પૈસા અને લાભ મળશે. તો ખાસ જાણી લો આ એક સરળ ઉપાય વિષે. મની પ્લાન્ટનો અર્થ ફેંગ શુઇ અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં જોઇ શકાય છે. તે એક છોડ છે જે પૈસાને આકર્ષિત કરે છે અને પરિવારમાં લાંબા ગાળાની ખુશી લાવી શકે છે.
જણાવી દઈએ કે, તે ઉષ્ણકટિબંધીય વેલાનો છોડ છે જે ચીન, જાપાન, બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન સાથે મળીને મલેશિયા, સિંગાપોર અને ઇન્ડોચિનામાં જોવા મળે છે. આ છોડના પાંદડા હંમેશા લીલા હોય છે, અને તેનો સંપત્તિ વૃદ્ધિ માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે.
હિન્દુ માન્યતા અનુસાર ધનવેલના પાન પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે, કેટલાક ચમત્કારીક પગલાં લેવાથી ધનવેલના એક પાનથી વ્યક્તિ તેના જીવનમાં અનેક સંકટ દૂર કરી શકે છે. જો તમારા ઘરની અંદર મની પ્લાન્ટ સુકાઈ રહ્યો છે, તો તમારે તેનો ઉપાય કરવો પડશે. ખરાબ અથવા શુષ્ક હોય છે તે પાન ખેંચીને નહીં, પરંતુ કાતરની મદદથી પાંદડા કાપી લેવા જોઈએ.
આ કર્યા બાદ અહી જે ઉપાય આપ્યો તે કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. એક બીજી વાત જે ધ્યાનમાં રાખવી પડશે અને તે છે કે તમારે તમારા મની પ્લાન્ટની મૂળ ક્યારેય દેખાવા દેવી નહીં. જો તમે તેને બાટલીમાં મુકો છો. તો પછી તેને કોઈ વસ્તુથી ઢાંકી દેવી શુભ માનવામાં આવે છે. અહી જે ઉપાય વિષે વાત કરી છે તે મુજબ આ ઉપાય કોઈને પણ કહ્યા વિના કરવો જ શુભ માનવામાં આવે છે.
આ ઉપાય મુજબ એક ધનવેલનું પાન લઈને તેને માં લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ આ પાન તમે તમારી તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યા પાર પણ તમે રાખી શકો છો. પૈસા કમાવવા માટે પણ દરેક જણ મહેનત કરે છે. પરંતુ, ઘણા લોકોના ઘરમાં મહેનત કરવા છતાં લક્ષ્મી આવતી નથી.
ઘણા નસીબમાં પણ માને છે. જો તમે આ કરો છો તો તમે પણ ખુબ જ ધનવાન બની શકો છો અને આ સાથે સાથે ધનની દેવી માં લક્ષ્મી પણ ખુબ જ ખુશ થાય છે. તેમજ તેમની ખાસ કૃપા તમારા અને તમારા પરિવાર પાર હમેશાં બની રહે છે. હંમેશાં પ્લાન્ટને વાસ્તુ મુજબ સૂચિત સ્થિતિમાં ઉગાડવાની ખાતરી કરો. નહીં તો તે આર્થિક નુકસાન આકર્ષિત કરશે.
મની પ્લાન્ટ લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશામાં સારી માનવામાં આવતી નથી, તેથી આ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઇએ. આ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે, વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાન્ટ હંમેશાં ઘરની અંદર હોવો જોઈએ, તે બગીચાના વિસ્તારમાં ક્યારેય વધશે નહીં.
વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઇ પ્રાચીન પદ્ધતિઓ છે, તેથી તમારે છોડ ઉગાડવા, સંપત્તિ મેળવવા અને સમૃધ્ધિ જેવી સરળ ટીપ્સનું પાલન કરવું જોઈએ. આ છોડ તમામ બાબતોમાં ફાયદાકારક છે. કારણ કે, તે સુંદર છે. આમ, જો તમે તમારા ઘરને સુંદર બનાવવા અને સારા નસીબ લાવવા માંગતા હોવ તો હમણાં તમારા ઘરમાં મની પ્લાન્ટ એટલે કે ધનવેલ લગાવવી જોઈએ.
જણાવી દઈએ કે, મની પ્લાન્ટનો સંપૂર્ણ લાભ લેવા માટે, તેને યોગ્ય દિશામાં રાખવો જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ માટે દક્ષિણપૂર્વ દિશા સૌથી યોગ્ય છે. આ દિશામાં આ છોડનું વાવેતર કરવાથી સકારાત્મક ઉર્જા લાભ પણ મળે છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ છે. કારણ કે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ છોડ અમને સમૃદ્ધ બનવામાં મદદ કરવા માટે ખુબ જ ઉપયોગમાં આવે છે એવું પણ માનવામાં આવે છે.
આમ મની પ્લાન્ટ ઘરના વાસ્તુ-દોષને દૂર કરવામાં પણ ખૂબ મદદગાર છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો મની પ્લાન્ટ લગાવો જોઈયે. આ સાથે મની પ્લાન્ટનો ઉપયોગ ઘરની સજાવટ માટે કરવામાં આવે છે. મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.