શરુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીએ મેસેજ કર્યો ‘મને મારી નાખશે, મને બચાવો’ -હ્રદય કંપાવી દેશે વડોદરાની આ ઘટના

Published on: 11:19 am, Sat, 27 November 21

તાજેતરમાં વડોદરામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 3 નવેમ્બરની એ ગોઝારી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી વેળાએ એ યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS (જીવ બચાવવાનો) લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો. ખુદ મૃતક યુવતીની માતાએ જ યુવતીના ફોનમાંથી આ સ્ક્રીનશોટ આપ્યા હતા. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11:31નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જોવા મળે છે.

જાણવા મળ્યું છે કે રાત્રે 11:31 વાગ્યે કરેલા વ્હોટ્સએપ મેસેજમાં યુવતીએ લખ્યું છે કે, “Sorry Sanjivbhai, Pl save me. out for MHE work, he follow me from NVS. Want to kill anyhow. I cant call in train… get phone somehow… parents don’t know anything. I Kidnapped. I am in washroom now Gonna kill Pl call waiting..” (સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે… મારાં માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો… રાહ જોઉં છું..)

ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેન નં. 19034નું શિડ્યૂલ જોઈએ તો ટ્રેન અમદાવાદથી સાંજે 6:10 વાગ્યે ઊપડીને સુરત સ્ટેશને રાત્રે 10:50 વાગ્યે પહોંચે છે. જ્યારે આ ટ્રેન રાત્રે 11:30 કલાકે નવસારી સ્ટેશન છોડે છે. આમ, નવસારી છોડ્યા પછી જ રેપકાંડનો ભોગ બનનારી યુવતીએ સંજીવભાઈ નામની કોઈ પરિચિત વ્યક્તિને પોતાનો જીવ બચાવવા માટે આ મેસેજ કર્યાની પ્રબળ શક્યતા છે. જાણવા મળ્યું છે કે, આ ટ્રેન રાત્રે 11:52 કલાકે બીલીમોરા અને મધરાતે 12:25 કલાકે વલસાડ પહોંચે છે.

યુવતીએ પોતાને બચાવી લે તેવો એક મેસેજ સંજીવભાઈ નામની વ્યક્તિને સંબોધીને કર્યો હતો. આ મેસેજની શરૂઆતમાં જ તેણે સોરી સંજીવભાઈ લખ્યું હતું અને મને બચાવી લો તેવી વાત પણ કરી હતી. ત્યારે યુવતીનો આ મેસેજ એ દિશામાં વિચારતા કરે છે કે શા માટે યુવતીએ સંજીયભાઈ નામની વ્યક્તિને સોરી કહેવું પડ્યું? એવું શું થયું હશે કે તેને બચાવવા માટેનો મેસેજ પણ સંજીવભાઈને કર્યો. આ સંજીવભાઈ કોણ છે? તેની સંસ્થા સાથે જોડાયેલા છે? અનેક સવાલો આ મેસેજ પછી ઊભા થયા છે.

4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતાં સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને આ અંગે જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે, યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઓએસિસ સંસ્થામાં ફેલોશિપ કરતી વિદ્યાર્થિનીએ વલસાડ ખાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. તપાસમાં તેની પાસેથી મળી આવેલી ડાયરીમાં 28 ઓક્ટોબરે તેની સાથે વેક્સિન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચ અને અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચ સહિતની 25થી વધુ પોલીસની ટીમો નરાધમને શોધવામાં લાગી હતી. છતાં હજી સુધી પોલીસના હાથ ખાલી દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત, રેલવે પોલીસ દ્વારા 28મી તારીખે વેક્સિન ગ્રાઉન્ડ પર બનેલી દુષ્કર્મની ઘટના સમયે ત્યાં વિસ્તારમાં હાજર હોય તેવા 54 જેટલા રિક્ષાચાલકોની ઓળખ કરવામાં આવી છે. પોલીસે લોકેશન ટ્રેસ કરી 54 જેટલા રિક્ષાચાલકોને આઇડેન્ટિફાય કર્યાં હતા અને ત્યારબાદ એક પછી એક તમામની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી પોલીસ 250થી વધુ રિક્ષાચાલકોની પૂછપરછ કરી ચૂકી છે.

પોલીસ દ્વારા યુવતીની ડાયરીની તપાસ કરતાં એમાં યુવતી પર દુષ્કર્મ થયું હોવાનું ખૂલવા પામ્યું હતું. જોકે, ડાયરીનું છેલ્લું પેજ ગાયબ જણાયું હતું. જેમાં દુષ્કર્મની ચોંકાવનારી વિગતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતીએ ડાયરીના પેજના ફોટા પાડી તેના ઓળખીતાને મોકલ્યા હતા. ત્યારે રેલવે પોલીસ દ્વારા યુવતીએ મોકલેલા ફોટા તેના એક ઓળખીતાના મોબાઈલ ફોનમાંથી રિકવર કરવામાં આવ્યા છે. એ ફોટાને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે, જેમાં ડાયરીમાંથી ગાયબ થયેલું છેલ્લું પેજ પણ હોય શકે છે.

આ અંગે માતાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે મારી દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેને લેખક બનવું હતું. અમે પણ તેની પ્રગતિથી ખુશ હતા. છેલ્લી વખત મને ગળે લાગી મરોલી જવાનું કહી ગયા બાદ હાલ તેની માત્ર યાદો જ રહી છે.

આ બનાવમાં યુવતીના પિતાના જણવ્યા અનુસાર, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી ત્યારે જિલ્લામા તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થા માટે કામ કરતી હતી એમાં આત્મહત્યા કરનારા લોકો અને વિદ્યાર્થીઓને ખોટાં પગલાં નહીં ભરવા માટે જાગ્રત કરવામાં આવે છે અને આજે આ જ દીકરીએ આવું પગલું ભરી લેતાં તેના પિતા આઘાતમાં સરી પડ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…